Pollyanna- એલીનોર પોર્ટરે આ નવલકથા સિવાય બીજું કશું જ ન લખ્યું હોત તો પણ એ, એટલાં જ યાદગાર અને લોકપ્રિય હોત, જેટલાં આજે 100 વર્ષ પછી પણ છે! એવું તે શું છે આ નવલકથામાં – જે આટલાં વર્ષો પછી પણ વાચકને એનું વ્યસન લગાડી રહી છે? આ નવલકથામાં નથી કોઈ તત્ત્વજ્ઞાન, નથી કોઈ આદર્શ કે સિદ્ધાંતની સુફિયાણી સલાહ, કે નથી એવી કોઈ મોટા ગજાની નાિયકા! તેમ છતાં આ નવલકથા એક બેઠકે પૂરી કરીને જ ઊભા થવાનું મન થાય એ હદે કથારસ અને કથાતંતુ વાચકને જકડી રાખે છે તેનું કારણ શું? આ નવલકથાની આવી અદ્ભુત સફળતાનું રહસ્ય તમને કથાની બાલનાયિકા પોલીએનાના રોજિંદા જીવાતા જીવનમાંથી જાણવા મળશે! જીવનમાં આવતી નિરાશાને અવગણવા કે દબાવી દેવાને બદલે, એ નિરાશાભરી પરિસ્થિતિમાંથી જ કેવી રીતે પ્રસન્નતાને શોધી કાઢી જીવનને માણવાલાયક બનાવી શકાય એ સત્યનો પ્રયોગ તમને આ પુસ્તકમાંથી જાણવા મળશે!