PAN AHINYAAN SUKH NATHI AAVTUN by Mital Patel – વિચરતી-વિમુક્ત જાતિઓના માનવીઓના જીવનસંઘર્ષને આલેખતું પુસ્તક ‘સરનામા વિનાનાં માનવીઓ’ બહોળી પ્રસિદ્ધિ પામ્યું હતું. વંચિત અને કચડાયેલા સમાજની કથની આ પુસ્તકમાં આગળ વધે છે. અહીં આ સમુદાયોનાં બાળકો શિક્ષિત થાય એ માટેની મથામણ અને સમાજના આ વર્ગને સમાજ જે નજરે જુએ છે, મૂલવે છે એની વાતો છે.